મનુષ્ય વિક્ષિપ્ત છે અને સક્રિય ધ્યાન છે ઔષધિ આજના મનુષ્યના ચિત્તની અવસ્થાને જોતાં ઓશો કહે છેઃ- 'મનુષ્ય વિક્ષિપ્ત છે, એવું નથી કે કેટલાક લોકો વિક્ષિપ્ત છે, પૂરી મનુષ્યતા જ વિક્ષિપ્ત છે. પ્રત્યેક મનુષ્યની વિક્ષિપ્તતા સામાન્ય સ્થિતિ બની ગઈ છે, એવું કેમ? આપણને બધાને દમિત બનાવી દીધા છે, દરેક પ્રકારની વાતોને ભીતર ધકેલીને. એ અંદર-અંદર ઉકળી રહી છે, એ સૌમાં જે આપણા સમાજમાં ઉછર્યા છે . તમે ક્રોધ, કામ, હિંસા, લોભ બધું જ એકઠું કરી લીધું છે. હવે એ સંચય તમારી ભીતર વિક્ષિપ્તતા બની ગયો છે. પશ્ચિમના મોટાભાગના મનોચિકિત્સકો અનુસાર આજની વિક્ષિપ્ત મનુષ્યતા માટે વિક્ષિપ્તતા, તણાવથી મુક્ત કરવા માટે 'સક્રિય ધ્યાન' અસરકારક ઉપાય સાબિત થઈ રહ્યો છે. સક્રિય ધ્યાન આધુનિક મનુષ્ય માટે છે કેમ કે તે વિક્ષિપ્ત છે, ઉલઝનમાં છે, બેચેન છે, તણાવમાં છે.'
ThriftBooks sells millions of used books at the lowest
everyday prices. We personally assess every book's quality and offer rare, out-of-print treasures. We
deliver the joy of reading in recyclable packaging with free standard shipping on US orders over $15.
ThriftBooks.com. Read more. Spend less.