સફળ જીવન, સુખ, સમૃદ્ધિ અને સફળતા એવા સુંદર સપના છે, જેને દરેક કોઈ સાકાર કરવા ઇચ્છે છે. એક વખત જ્યારે પૉઝિટિવ લાઇફને ધ્યાનમાં રાખીને આગળ વધવાનો પ્રયત્ન કરીએ છીએ, તો આસપાસની સ્થિતિ એ જ અનુસાર બદલાવાની સાથે તમારું દરેક પગલું ખુશીઓની તરફ વધવા લાગે છે. આ બધું જ એથી શક્ય થઈ શકે છે કેમ કે જેટલું તમે વિચારો છો, એનાથી ક્યાંય વધારે સાહસી, બહાદુ૨ અને પ્રભાવશાળી છો. આ વાત ફક્ત કહેવા માટે નહીં, બલ્કે આ જાદુઈ શક્તિ તમારી અંદર છે અને છેલ્લાં સમય સુધી તમારી સાથે રહે છે. સફળતા અને અસફળતામાં એક ખૂબ નાનો-એવો ફરક હોય છે અને તે અંતર ફક્ત તમારી વિચારધારાનો હોય છે. સકારાત્મક વિચારધારાથી તમે દરેક કામને ઉત્તમ રીતથી કરી શકો છો. કોઈ પણ વ્યક્તિએ જીવનમાં સફળ થવાની ઇચ્છા અંતિમ ક્ષણ સુધી ના છોડવી જોઈએ, કેમ કે જે પ્રકારે દુનિયામાં દરેક તાળું બનાવવાથી પહેલાં એની ચાવી બનાવવામાં આવે છે, બિલ્કુલ એ જ પ્રકારે ભગવાન દરેક પડાવને સફળતાપૂર્વક મેળવવા માટે આપણાં માટે એનો માર્ગ પણ બનાવે છે. રચનાત્મક વિચારોથી આપણી અંદર એવી પૉઝિટિવ વિચારધારા પેદા થાય છે, જેનાથી આપણું મન આનંદિત થઈ ઉઠે છે. પૉઝિટિવ લાઇફ પોતાના ચમત્કારથી કોઈ પણ સાધારણ માણસને દિલ અને દિમાગમાં ઉત્સાહ ભરવ
ThriftBooks sells millions of used books at the lowest
everyday prices. We personally assess every book's quality and offer rare, out-of-print treasures. We
deliver the joy of reading in recyclable packaging with free standard shipping on US orders over $15.
ThriftBooks.com. Read more. Spend less.