કવિતા એ માત્ર કાગળ પર ઉતારવામાં આવેલી શબ્દોની ગોઠવણી નથી; કવિતા એ તો હૃદયના ઊંડાણમાં ધરબાયેલા અકથ્ય ભાવો, અશ્રુઓ, આક્રોશ અને અતૂટ શ્રદ્ધાનો જીવંત અનુભવ છે. જ્યારે કોઈ સર્જકની કલમ શાહીને બદલે હૃદયના ભાવ અને આંખના આંસુથી લખાતી હોય, ત્યારે જે સર્જન થાય છે તે સીધું વાચકના આત્માને સ્પર્શે છે. ડૉ. ભાવના જોષી 'ચાંદની'નો આ દ્વિતીય કાવ્યસંગ્રહ "હું, તમને ક્યાં શોધું " એ આવું જ એક હૃદયવેધક અને ભાવસભર સર્જન છે.
"હું, તમને ક્યાં શોધું " પોતે જ એક પ્રશ્ન છે, એક આર્તનાદ છે અને એક ચિરંતન શોધ છે. આ શોધ છે એ જીવતા દેવ સમાન મા-બાપની, જેઓ અચાનક જિંદગીની મઝધારમાં સાથ છોડીને વિદાય લઈ ગયાં. આ શોધ છે એ પરમાત્માની, જેને આ સ્વાર્થી અને તકલાદી દુનિયામાં એકલતાથી ઘેરાયેલો જીવ સાદ પાડી રહ્યો છે અને આ શોધ છે ખુદ પોતાની જાતની, જે સંબંધોના વમળમાં અને દુનિયાના કાવાદાવાઓ વચ્ચે પોતાનું સાચું અસ્તિત્વ શોધી રહી છે.
'હું, તમને ક્યાં શોધું ' પુસ્તકમાંથી પસાર થવું એ કોઈ સામાન્ય વાચન યાત્રા નથી, પરંતુ એક સંવેદનશીલ હૃદયના ધબકારા સાંભળવા જેવો અનુભવ છે. કવયિત્રીએ પોતાના પ્રથમ કાવ્યસંગ્રહ "ચાંદનીના પાલવમાં છલકાતી શીતળતા"માં જે માધુર્ય પીરસ્યું હતું, તે અહીં વધુ ઘેર&
Related Subjects
Poetry