આદિયોગી - દિવ્ય પ્રેમગાથા એક ગાંધર્વ અભીરથ અને ઋષિ કન્યા અવંતિકાની પ્રેમગાથા છે. જેના કરતાં ધરતાં સ્વયં મહાદેવ અને માતા પાર્વતી છે. અભીરથ અવંતિકા માટે મહાદેવનો સંદેશ લઈને પૃથ્વીલોક પર આવે છે ને ત્યાં આવીને ત્યાં સ્થિત મઢીમાં વશે છે. ત્યાં આવ્યા બાદ અવંતિકા સાથે મળીને દરેક સમસ્યાઓની સામનો કરે છે ને તે બંનેને એકબીજાથી પ્રેમ થઈ જાય છે. ત્યારબાદ તેમની દિવ્ય પ્રેમગાથા તેના અંજામ સુધી પહોંચે છે ને તેના સાક્ષી સ્વયં મહાદેવ અને માતા પાર્વતી બને છે.