આઝાદીવિરો - ગુજરાત ખેડાના સ્વાતંત્ર્ય સેનાની" પુસ્તક મિનેષ પ્રજાપતિ દ્વારા ખેડા જિલ્લાના સ્વાતંત્ર્ય સેનાનીઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. ભારતમાં જ્યારે અંગ્રેજોનું શાશન હતું, ત્યારે દેશના અનેક લોકોએ બલિદાન આપ્યાં છે. જેમાં અમુકના નામથી આપણે પરિચિત છીએ અને અમુકના નામ તો આપણે જાણતા પણ નથી. બસ આ સ્વતંત્ર્ય સેનાનીઓને બહાર લાવવાનું કામ મિનેષભાઈ દ્વારા કરવામાં આવ્યું. જેના લીધે આપણે એવા સ્વાતંત્ર્ય સેનાનીઓથી પરિચિત થશું જેમના વિશે પુસ્તકોમાં પણ માહિતી નથી.
Related Subjects
History